દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થમારો થયો હોવાનો પોલીસનો દાવો

દિલ્હીના ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી છે. ઉપદ્રવીઓએ સ્થળ પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર રેપિડ એક્શન ફોર્સ (RAF) અને દિલ્હી પોલીસની ટીમ દરરોજની જેમ સુરક્ષામાં તૈનાત હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અચાનક હિંસક બન્યા હતા અને પોલીસ તથા RAFના જવાનો પર મોટા પથ્થરો તેમજ લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો.

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે RAF અને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ઉપદ્રવી ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ૨-૩ અશ્રુવાયુ (આંસુ ગેસ)ના ગોળા છોડીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

Leave a comment