કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપી મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ગુજરાત કેડરના આ અધિકારીઓને મળ્યું પ્રમોશન
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, ગુજરાતના અનુભવી અધિકારીઓને તેમના જે-તે વિભાગોમાં ઉચ્ચ સ્તરીય જવાબદારી સોંપાઈ છે.
1. એમ.કે. ખંધાર (1996 બેચ): સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં અધિક સચિવ.
2. આરતી કંવર (2001 બેચ): ટેક્સટાઇલ મંત્રાલયમાં અધિક સચિવ.
3. વિજય નેહરા (2001 બેચ): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ.



