ડૉ. પ્રીતિ અદાણીએ ‘સશક્ત નારી, વિક્સિત ભારત’ પરિષદમાં 2027 નું વિઝન રજુ કર્યું

  • નવી દિલ્હીમાં ‘સશક્ત નારી, વિક્સિત ભારત’ પરિષદમાં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષાએ વિક્સિત ભારત 2047 ના વિઝનના કેન્દ્રસ્થાને મહિલા આર્થિક એજન્સીને રાખી.
  • તેમણે અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખએ કરેલી પહેલ મારફત કૃષિ, ડેરી, આરોગ્ય અને ઉદ્યોગક્ષેત્રે થયેલી કામગીરીના જમીની પરિણામોની ઝાંખી કરાવી.
  • પાયાના સ્તરની પધ્ધતિઓ અને ઉભરતા રાષ્ટ્રીય નીતિ માળખા વચ્ચેના સમન્વયની  ભારપૂર્વક હિમાયત

નવી દિલ્હીના  જાહેર નીતિ થિંક ટેન્ક ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “સશક્ત નારી, વિક્સિત ભારત” પરિષદને સંબોધન કરતા અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ વિક્સિત ભારત ૨૦૪૭ તરફના પ્રયાણમાં ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રિય શિલ્પી તરીકે મહિલાઓને પોતાની ઓળખ બનાવવાનું આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીનું સ્વાગત કરતા ડૉ. અદાણીએ મહિલાઓના નેતૃત્વ હેઠળ થઇ રહેલા વિકાસ પાછળની નીતિગત ગતિને સ્વીકારીને હેતુપૂર્વકની આર્થિક ભાગીદારીમાં સતત પરિવર્તન લાવવાનો આગ્રહ કર્યો હતો.

તેમણે પાયાના અનુભવના ઉપયોગના આધારે સશક્તિકરણ સુલભતાથી શરૂ થાય છે તે બાબત ઉપર ભાર મૂક્તા જણાવ્યું હતું કે ઔપચારિક શિક્ષણનું સ્તર મર્યાદિત છે એવા ગ્રામીણ સમુદાયોમાં અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ મારફત ફાઉન્ડેશન દ્વારા સમર્થિત મહિલા ખેડૂતોને સરળ કૃષિ મોબાઇલ એપ્લિકેશનો ઉપલબ્ધ કરવામાં આવી છે જેના દ્વારા સિંચાઈ, ખાતરના ઉપયોગ, બિયારણની પસંદગી અને મંડીના ભાવના ટ્રેકિંગનું માર્ગદર્શન આપવામાં આવે છે. માહિતીની આપ-લેની સુધરેલી પહોંચ ઉચ્ચ ઉત્પાદકતા, મજબૂત આવક અને વધુ આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ છે.

ડેરી ક્ષેત્રમાં, સામૂહિક કાર્યવાહીએ કમાણીની સંભાવનાને ફરીથી આકાર આપ્યો છે. ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધા હેઠળ સ્વ-સહાય જૂથ સંચાલિત દૂધ સંગ્રહ કેન્દ્રોમાં હવે ૩૫00 થી વધુ મહિલાઓને આવરી લેવામાં આવી છે જે સામૂહિક રીતે વાર્ષિક ૭૫ લાખ લિટરથી વધુ દૂધનું સંચાલન કરે છે. પારદર્શક ભાવ નિર્ધારણ, ગુણવત્તા પરીક્ષણ અને સંગઠિત ખરીદીએ આવક સ્થિરતા અને સોદા પાર પાડવાની શક્તિમાં વધારો કર્યો છે. ,

ડૉ. અદાણીએ પ્રશિક્ષિત સ્થાનિક મહિલા સ્વયંસેવકોએ પ્રજનન વય જૂથની ૩.૨૫ લાખથી વધુ મહિલાઓ માટે સુધારેલા આરોગ્ય પરિણામોને ટેકો આપ્યો છે એવી ફાઉન્ડેશનની મુખ્ય પહેલ માતૃત્વ અને મહિલા આરોગ્ય સુપોષણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્વાભિમાન કાર્યક્રમે ૩૦૦ એન્ટરપ્રાઇઝ સ્વ-સહાય જૂથોમાં ૪,૫00 થી વધુ મહિલાઓને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવી છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સશક્તિકરણ દાન વિશે નથી, પરંતુ કુશળતા, નાણાં, બજારો અને નેતૃત્વના માર્ગોની પહોંચને વિસ્તૃત કરવા વિશે છે.

તાજેતરના કેન્દ્રીય બજેટની સ્વ-સહાય ઉદ્યોગસાહસિક પહેલનો ઉલ્લેખ કરતા, ડૉ. અદાણીએ તેને મહિલાઓને વૃદ્ધિ, મૂડીની ઍક્સેસ સાથે માઇક્રો-ક્રેડિટ સહભાગીઓથી એન્ટરપ્રાઇઝ માલિકો પ્રતિ સંક્રમણ કરવા સક્ષમ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ નીતિગત પગલું ગણાવ્યું હતુ. તેમણે ફાઉન્ડેશનના તેના ઘાતાંકીય સશક્તિકરણને ટેકો આપવાના માળખા સાથે તેના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો.

ઉદ્યોગસાહસિકતા, શાસન અને ગ્રામીણ નેતૃત્વ પરની ચર્ચાઓમાં, સંદેશ સુસંગત રહ્યો છે, મહિલાઓની આર્થિક ભાગીદારી ભારતની લાંબા ગાળાની સમૃદ્ધિનો પાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે સંબોધનના સમાપનમાં સંસ્થાઓને માળખાકીય અવરોધોને દૂર કરવા અને તકોની પહોંચને વિસ્તૃત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ભારતના વિકાસનો આગામી તબક્કો વર્ગખંડો, તાલીમ કેન્દ્રો, ગ્રામીણ સાહસો અને ડિજિટલ બજારોમાં આત્મવિશ્વાસુ મહિલાઓના નેતૃત્વમાં આકાર પામશે.

Leave a comment