મકરસંક્રાંતિએ પ્રયાગરાજમાં 54 લાખ શ્રદ્ધાળુએ સ્નાન કર્યું

દેશભરના અનેક ભાગોમાં ગુરુવારે પણ મકરસંક્રાંતિ મનાવવામાં આવી રહી છે. સંક્રાંતિને લઈને ગંગા, યમુના અને નર્મદા જેવી પ્રમુખ નદીઓના કિનારે લાખો લોકો સવારથી ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ માઘ મેળામાં આજે મકર સંક્રાંતિનું સ્નાન પર્વ છે. સંગમમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 54 લાખ શ્રદ્ધાળુ સ્નાન કરી ચૂક્યા છે. આજે અંદાજે દોઢ કરોડ શ્રદ્ધાળુ ઊમટી પડે એવું અનુમાન છે.

મકરસંક્રાંતિ પર પતંગબાજી દરમિયાન સતત અકસ્માતો પણ સામે આવી રહ્યા છે. વીતેલા બે દિવસોમાં ગુજરાતમાં 9 અને રાજસ્થાનમાં 6, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં 1-1 વ્યક્તિનાં મોત થયાં છે.

યુપીના વારાણસીના ગંગા ઘાટ અને પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં સ્નાન માટે લોકોની ભીડ ઊમટી છે. પંજાબના અમૃતસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સચખંડ શ્રી દરબાર સાહિબમાં પવિત્ર સ્નાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના અવસર પર પોતાના નિવાસસ્થાને ગાયોને ચારો ખવડાવ્યો.

ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો. ભસ્મ આરતીમાં પણ તલ અર્પણ કરવામાં આવ્યા અને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો.

પ્રયાગરાજના સંગમ નોઝ પર ગંગા સ્નાન માટે સવારે 4 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. લોકો ‘જય ગંગા મૈયા’ના ઉદઘોષ સાથે સ્નાન કરી રહ્યા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 54 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે.

જલ્લીકટ્ટુ એક એવી રમત છે, જેમાં ભીડની વચ્ચે સાંડને છોડી દેવામાં આવે છે. આ રમતમાં ભાગ લેનારા લોકો સાંડનો કૂબો પકડીને તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. જે વ્યક્તિ સાંડના કૂબાને સૌથી વધુ સમય સુધી પકડી રાખે છે, તે જ વિજેતા બને છે.

તમિલનાડુના કાંચીપુરમ નજીક ગ્રીન પાર્ક એવન્યુમાં પોંગલના તહેવાર માટે શેરડીનો એક વિશાળ રથ તૈયાર કરવામાં આવ્યો છે. 21 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો, પાંચ ટન વજન ધરાવતો આ રથ 15 લોકોએ 15 દિવસમાં તૈયાર કર્યો છે.

સંપૂર્ણપણે શેરડીમાંથી બનેલા આ રથને જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે, જેને જોઈને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a comment