શ્રીમદ ભાગવત કથાના પાંચમા દિવસે ગોવર્ધન પૂજા

પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી આશામાં તથા પરમ પૂજ્ય શ્રી મૃદુલાબા ના દર્શન થી સૌ કોઈ થયા ભક્તિવિભોર

શિરાચા, ૧૮ ડિસેમ્બર ૨૦૨૫: અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે કથાવક્તા શ્રી કશ્યપભાઈ જોશીના મુખાર્વિંદથી કથાની શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત ભક્તોએ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કર્યું હતું.

ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ નાટકનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે જોઈને ભક્તો આનંદવિભોર બની ગયા હતા.

આજે ખ્યાતનામ સાધુ-સંતો, મહંતો તેમજ વિવિધ સમાજના ધર્મગુરુઓએ પણ કથાનો રસપાન કર્યો હતો, જેમાં મુખ્યત્વે મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી આશામાં તથા પરમ પૂજ્ય શ્રી મૃદુલાબા (ગણેશ રતાડીયાવાળા)નો સમાવેશ થાય છે.

મોગલ ધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ બાપુ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને રોજગાર આપે છે લોકોને રોજી રોટી પૂરી પાડે છે ગાયોને ઘાસચારો પૂરો પાડે છે, આશીર્વાદ આપતા એમને કહ્યું હતું કે કંપની હજુ વધુ પ્રગતિ કરે અને આમ જ કચ્છના લોકોની સેવા કરે છે.

આ પ્રસંગે ઝરપરાના વીર શહીદ માણશી ગઢવીના માતૃશ્રી સુમાભાઈ રાજદે ગઢવી નું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

આજની કથામાં કચ્છના રાપરના ધારાસભ્યશ્રી તથા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી. શ્રી ચિરાગભાઈ કોરડીયા, કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા (નલિયા), કચ્છના જાણીતા લોકગાયક શ્રી હરિભાઈ ગઢવી (મોટા ભાડીયા), કચ્છ ચારણ સમાજના અગ્રણી શ્રી વિજયભાઈ ગઢવી, આહીર સમાજના અગ્રણી તથા શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી બાબુભાઈ હુંબલ સહિત અનેક સામાજિક અને રાજકીય, ઔદ્યોગિક સંગઠનના આગેવાનો, અધિકારીશ્રીઓ, વિવિધ સમાજ તથા ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને કથાના શ્રોતા બન્યા હતા.

Leave a comment