અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સી.એસ.આર પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન કચ્છના દૂરના સીમાડે આવેલા ખાવડા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરી રહ્યું છે, ખાવડાએ ભુજ થી 80 કિલોમીટર દૂર સરહર પર વસેલું ગામ છે, જેની આજુ-બાજુમાં લગભગ 43 જેટલા ગામડાઓ અને 20 જેટલી નાની-મોટી વાંઢો આવેલી છે, આ તમામ વિસ્તારની જનતા માટે સ્વાસ્થ્યની સુખાકારી માટે માત્ર એક જ આશાનું કિરણ છે, ખાવડા CHC-ખાવડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આ સરકારી દવાખાનામાં ખાવડા અને ત્યાંના આજુ-બાજુના ગામડાઓના લોકોને સારા તબીબની સારવાર મળી રહે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા CHC ખાતે અદાણી આરોગ્ય કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે, આ હેલ્થના પ્રકલ્પ અંતર્ગત ખાવડા CHC ખાતે દર અઠવાડિએ મંગળવાર અને શુક્રવારના ભુજથી ખાસ નિષ્ણાંત ડોક્ટરોની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.જેમાં સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, નેત્ર ચિકિત્સક, ફિઝિશિયન અને ઓર્થોપેડિક તજ્જ્ઞ તથા જનરલ ફિઝિશિયન જેવા નિષ્ણાંતોની સેવાનો સમાવેશ થાય છે.
આદાની ફાઉન્ડેશનની પહેલના કારણે અહીંના લોકોને નિઃશુલ્ક સારવાર અને દવાઓની સેવા અહીં જ મળી રહે છે, જેના કારણે તેઓને ખાવડાથી ભુજ સુધી લાંબે જવાનો સમય ,શ્રમ અને આર્થિક વ્યયનો બચાવ થાય છે, સાથે-સાથે લોકોને તેમના જ વિસ્તારમાં નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની સેવાનો લાભ મળી જાય છે, અહીં તેઓને નાની સર્જરી જેવી સારવાર આ નિષ્ણાતો દ્વારા કરી આપવામાં આવે છે, અદાણી ફાઉન્ડેશનના આ પ્રકલ્પ હેઠળ દર વર્ષે 11 હજાર થી વધુ દર્દીઓને આ સેવાનો લાભ મળે છે, સાથે-સાથે અંતરિયાળ વિસ્તારના ગમાળાઓના લોકો માટે ગામડે-ગામડે હેલ્થનું આયોજન કરીને સ્વાસ્થ્યની સેવા આપવામાં આવે છે , આ સેવાના ભગીરથ કાર્યમાં CHCના તબીબી અધિકારી શ્રી વર્માસાહેબનો તથા તેમના તમામ સ્ટાફનો પણ સિંહ ફાળો રહેલ છે, અદાણી ફાઉન્ડેશન ખાવડા દ્વારા સેવાના આ ભગીરથ કાર્યમાં સંકળાયેલ તમામ લોકોનો સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં સર્વેનું સન્માન કરવામાં આવ્યું, આમ અદાણી ફાઉન્ડેશન ખાવડાના લોકોના સ્વાસ્થ્યના સુધારાના માટે હરહંમેશ ખાલેપગે છે.
