ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ખાતે 81મા ફાયર સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. 14 થી 20 એપ્રિલ સુધી રાષ્ટ્રીય અગ્નિશમન સેવા સપ્તાહ SEZ ઉદ્યોગો તેમજ આસપાસની શાળાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અદાણી પોર્ટ્સના અગ્નિશમન વિભાગ દ્વારા નેશનલ ફાયર સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે આયોજીત તાલીમમાં અદાણી પબ્લિક સ્કૂલ અને ઝરપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ કરવામાં હતી. જેમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, આગના અલગ અલગ પ્રકારો, આગ લાગવાના કારણો એને તેને નિયંત્રણ કરવાના ઉપાયો, તેમજ અગમચેતીના પગલાઓ વિશે પણ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ વર્ષે ફાયર સેફ્ટી વીકની થીમ “UNITE TO IGNITE, FIRE SAFE INDIA (ચાલો સૌ અગ્નિથી સુરક્ષિત ભારત દિપાવીએ”)” રાખવામાં આવી. ભારતમાં દર વર્ષે 14 એપ્રિલના દિવસે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન ( National Fire Service Day) મનાવવામાં આવે છે. જેમાં સ્વબચાવ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી રહે તેવા કાર્યક્રમો થકી લોકોને અગ્નિશમન વિશે માહિતગાર કરવામાં આવે છે.
સપ્તાહિક કાર્યક્રમોમાં સમુદ્ર ટાઉનશીપ ખાતે ફાયર સેફ્ટી બેનરોનું પ્રદર્શન, કર્મચારીઓ અને સહયોગી સ્ટાફ માટે ટેબલ ટોપ કસરત, ઓનલાઇન ક્વિઝ, આગ નિવારણ અને કટોકટીમાં બચાવ અંગે તાલીમ, કામદારોને અગ્નિશામક તાલીમ, MLTPL/CCPL ખાતે અગ્નિશામક કવાયત, ઇવેક્યુએશન અને ફાયર ફાઇટીંગ ડ્રિલ, ઉત્પાદક અને સપ્લાયર્સ દ્વારા અગ્નિ નિવારક જીવનરક્ષા ઉત્પાદનોનું પ્રદર્શન, ઇવેક્યુએશન અને ફાયર ફાઇટીંગ ડ્રીલ, અલ્ટીમેટ ફાયર ફાઈટર ચેલેન્જ વગેરે સામેલ છે.
APSEZ ઉપક્રમો સહિત આસપાસના રહેણાક વિસ્તારોમાં આગ નિવારણને પ્રોત્સાહન આપવા અને સલામત સંસ્કૃતિનું નિર્માણ કરવાની નેમ ધરાવે છે. ફાયર સેફ્ટી વિશે માહિતી મેળવવાની રસપ્રદ રીત અપનાવતા તેમાં રમતગમત અને રુચિકર પ્રવૃત્તિઓથી ફાયર સેફ્ટી અંગે જ્ઞાનવર્ધન થાય છે. આગની પ્રત્યેક ઘટનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ નુકશાન થતું હોય છે. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોથી આગ નિવારણની સાથે જાનમાલની હાનિ ચોક્કસપણે અટકાવી શકાય છે. અસરકારક અગ્નિ સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણથી આગથી થતી ઈજા અને મિલકતના નુકસાનમાં ઘટાડો થાય છે.
