આવકવેરા ભરવાની તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવાઈ

સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી છે. હવે લોકો 15 જાન્યુઆરી, 2025 સુધી લેટ ફી સાથે ITR ફાઈલ કરી શકશે. નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે (કોઈપણ લેટ ફી વિના).

જો તમે હજુ સુધી ITR 2023-24 ફાઈલ કર્યું નથી, તો તમે તેને 15 જાન્યુઆરી સુધી લેટ ફી સાથે ફાઈલ કરી શકો છો. જો કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારે 1000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 5000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.

તમે વિલંબિત ITR ફાઇલ કરીને નોટિસને ટાળી શકો છો, પરંતુ નિયત તારીખ એટલે કે 31મી જુલાઈ સુધીમાં રિટર્ન ફાઇલ ન કરવાના ઘણા ગેરફાયદા છે. આવકવેરાના નિયમો અનુસાર, જો તમે નિયત તારીખ પહેલાં ITR ફાઇલ કરો છો, તો તમે ભવિષ્યના નાણાકીય વર્ષમાં તમારી ખોટને આગળ વધારી શકો છો. તેનો અર્થ એ કે તમે આગામી નાણાકીય વર્ષોમાં તમારી કમાણી પરની કર જવાબદારી ઘટાડી શકો છો, પરંતુ હવે તમે ITR ફાઈલ કર્યા પછી આનો લાભ લઈ શકશો નહીં.

આ સિવાય તમારી આવક વિશેની માહિતી ઘણા સ્ત્રોતોથી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે, જો ITR ફાઇલ કરવામાં ન આવે તો આવકવેરા વિભાગ તમને તે માહિતીના આધારે નોટિસ મોકલી શકે છે. નોટિસની તકલીફોથી બચવા માટે ITR ફાઈલ કરવું ફાયદાકારક છે.

Leave a comment