ઓડિશામાં 24 વર્ષથી સત્તા પર રહેલા પટનાયક શાસનનો અંત

લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલમાં ટ્રેન્ડ આવી રહ્યા છે.

ઓડિશામાં 24 વર્ષથી સત્તા પર રહેલા નવીન પટનાયક શાસન ગુમાવતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 147માંથી 78 સીટો પર આગળ છે. એક્ઝિટપોલમાં બીજેડી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર હોવાનું જણાવાયું હતું.પોલમાં નવીન પટનાયકની બીજેડી અને બીજેપીને 62-80 સીટો મળવાનો અંદાજ જણાવાયો હતો.

આંધ્રપ્રદેશમાં એનડીએ (ભાજપ, TDP અને જનસેના પાર્ટી) સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. વર્તમાન સીએમ જગન મોહન રેડ્ડીની YSRCPને ભારે નુકસાન થઈ રહ્યું છે. એક્ઝિટ પોલમાં પણ આ વખતે સત્તા પરિવર્તનની અપેક્ષા જણાવાઈ હતી. 5 એક્ઝિટ પોલમાં NDA સરકાર બનાવતી જોવા મળી રહી છે અને બેમાં સત્તારૂઢ YSRCP સરકાર બનતી દેખાઈ રહી છે.

તેમજ, અત્યાર સુધીના વલણો અનુસાર, ઓડિશામાં ભાજપ સરકાર બનાવી શકે છે. એક્ઝિટ પોલમાં બીજેડી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જણાવાઈ હતી. નવીન પટનાયકની બીજેડી અને ભાજપ બંનેને 62-80 બેઠકો મળવાની ધારણા હતી.

જ્યારે આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના જગન મોહન રેડ્ડી 2019થી સત્તામાં છે. ગઈ વખતે જગન મોહને 175માંથી 151 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. રાજ્યમાં ભાજપે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી (જેએસપી) સાથે ગઠબંધન કર્યું છે.

ઓડિશામાં નવીન પટનાયક 24 વર્ષ (માર્ચ 2000)થી સતત મુખ્યમંત્રી છે. હાલમાં ભાજપે ઓડિશામાં કોઈને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવ્યો નથી. ભાજપે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી.

Leave a comment