- આ પ્રોજેક્ટ તેના ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછો કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવશે
- આ પ્રોજેક્ટ થકી 7,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની કચ્છ કોપરએ ગુરુવારે ગ્રાહકોને કેથોડ્સની પ્રથમ બેચ મોકલીને મુંદ્રા ખાતે તેના ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ શરૂ કર્યું હતું.
અદાણી ગ્રૂપની મેટલ ઉદ્યોગ વ્યવસાયમાં આ પ્રથમ શરૂઆત છે. આ ગ્રીનફિલ્ડ યુનિટની સ્થાપના એ અદાણી ગ્રૂપની પ્રોજેક્ટ્સનું આયોજન અને અમલ કરવાની ક્ષમતા દર્શાવે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ $ 1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. બીજા તબક્કાની પૂર્ણાહુતિ પર પણ સમાન ક્ષમતા ઉમેરાશે, કચ્છ કોપર 1 MTPA સાથે, વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન સ્મેલ્ટર બનશે, જે અત્યાધુનિક ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશનનો લાભ ઉપરાંત ESG કામગીરીના ધારા-ધોરણોનો બેન્ચમાર્ક બનાવશે. અહી લગભગ 2,000 પ્રત્યક્ષ અને 5,000 પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે.
આ પ્રસંગે અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “કચ્છ કોપરની કામગીરીની શરૂઆત સાથે, અદાણી પોર્ટફોલિયો માત્ર ધાતુના ક્ષેત્રમાં જ પ્રવેશી રહ્યો નથી પરંતુ તે ભારતને ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.” “આ મહત્વાકાંક્ષી, સુપર-સાઇઝ પ્રોજેક્ટમાં અમલીકરણની અમારી ઝડપ ભારતને વૈશ્વિક કોપર સેક્ટરમાં મોખરે લઈ જવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે કરે છે. ઘરેલું કોપર ઉદ્યોગ 2070 સુધીમાં આપણાં કાર્બન તટસ્થતાના ધ્યેયને હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે અને આપણા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પર્યાવરણીય કામગીરી સાથે જોડીને મજબૂત બનાવશે. જ્યારે ચાલુ કરવામાં આવશે, ત્યારે અમારું આધુનિક સ્મેલ્ટર નવીન ગ્રીન ટેક્નોલોજી ના ઉપયોગથી તાંબાના ઉત્પાદનમાં નવા માપદંડો સ્થાપિત કરશે.
રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, વિહીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસ દ્વારા તાંબાની માંગ વધશે.
કચ્છ કોપર તેના પોર્ટફોલિયોમાં કોપર ટ્યુબ ઉમેરવા તેની ફોરવર્ડ ઇન્ટિગ્રેશન વ્યૂહરચનાના ભાગરૂપે કચ્છ કોપર ટ્યુબ્સ લિમિટેડની સ્થાપના તરફ કામ કરી રહ્યું છે. આ ટ્યુબ એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશનમાં એપ્લિકેશનની માંગને પૂરી કરશે.
કચ્છ કોપર દ્વારા ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી સૌથી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે. પ્લાન્ટ વિસ્તારનો એક તૃતીયાંશ ભાગ ગ્રીન બેલ્ટ સ્પેસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને 15% મૂડી પર્યાવરણ સુરક્ષા માટે ફાળવવામાં આવી છે. ઇકોલોજીકલ અસર ઘટાડવા માટે, પ્લાન્ટે ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ મોડલ અમલમાં મૂક્યું છે અને કામગીરી માટે ડિસેલિનેટેડ પાણીનો ઉપયોગ કરે છે. તે કચરો ઘટાડવા પ્રક્રિયાઓમાં ટ્રીટેડ ગંદાપાણીનું રીસાયકલિંગ પણ કરે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિશે
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એ અદાણી ગ્રુપની મુખ્ય કંપની છે, જે ભારતની સૌથી મોટી બિઝનેસ સમૂહો ઓમાંની એક છે. વર્ષોથી, અદાણી એન્ટરપ્રાઇઝે ઉભરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે અને તેમને અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીમાં વિનિવેશ કર્યો છે. અદાણી પોર્ટ્સ અને SEZ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મર જેવા વિશાળ કદના વ્યવસાયોનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. કંપનીએ મજબૂત વ્યવસાયો સાથે ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપ્યું છે. આનાથી અમારા શેરધારકોને ત્રણ દાયકાથી નોંધપાત્ર વળતર પણ મળ્યું છે.
તેના વ્યૂહાત્મક વ્યવસાયિક રોકાણોની આગામી પેઢી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ મેનેજમેન્ટ, ડેટા સેન્ટર, રોડ, અને કોપર અને પેટ્રોકેમ જેવા પ્રાથમિક ઉદ્યોગોની વિકસવા પ્રયત્નશીલ છે.
