અદાણી જૂથની કંપનીઓ ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા જળવાયુ સંરક્ષણનો અભિગમ અપનાવે છે. જૂથની વિવિધ કંપનીઓએ ટકાઉ જળ વ્યવસ્થાપન માટે નિર્ણાયક પગલાં લીધાં છે. તાજેતરમાં અંબુજા સિમેન્ટ્સે જવાબદાર કોર્પોરેટ તરીકે વોટર મેનેજમેન્ટમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અંબુજાનો ઉદ્દેશ ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા અને સમુદાયોની સંલગ્નતાના સર્વગ્રાહી અભિગમ સાથે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા શ્રેષ્ઠત્તમ વોટર પોઝિટિવ બનવાનો છે.
જળસંરક્ષણ માટે ઈનોવેટીવ પ્રોડક્ટ્સ અને ઓપરેશનલ સુધારાઓ કરવામાં કંપની સતત આગળ વધી રહી છે. બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોંક્રિટ મિક્સ પ્રોપોર્શન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન જેવા નવીન પ્રોડક્ટ સોલ્યુશન્સ વિકસાવવામાં કંપનીની સંલગ્નતા, કુદરતી સંસાધનોને શ્રેષ્ઠ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેના પરિણામે પાણીની નોંધપાત્ર બચત થાય છે. કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સમુદાયો બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રસંશનીય પગલાઓ લીધા છે.
અંબુજા સિમેન્ટ સમુદાયો માટે સરકાર અને સંગઠનોના સહયોગથી જળ સંરક્ષણના પ્રયાસો કરવામાં અગ્રેસર છે. જેમાં જળ જાગૃતિ ઝુંબેશ, વરસાદી પાણીના સંગ્રહ અંગે પ્રશિક્ષણ, જળ સાક્ષરતા અને આધુનિક સિંચાઈ તકનીકોનો સમાવેશ થાય છે. જેના પરિણામે રૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સપાટી પરના પાણીના સંગ્રહમાં વધારો અને ખેડૂતો દ્વારા માઈક્રો સિંચાઈની તકનીકોને અપનાવનારા લોકોમાં વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો, 14 સમુદાયોના 736 ઘરોમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અપનાવી છે. સપાટી જળ સંગ્રહમાં 1.08 MCMનો વધારો થયો છે. જ્યારે 2,368 ખેડૂતોએ સૂક્ષ્મ-સિંચાઈ પદ્ધતિઓ 2,242 હેક્ટરમાં પાણીના એક-એક ટીપાનો સદુપયોગ કરી ફળદ્રુપ પાક અપનાવ્યો છે. જૂથ સિંચાઈ યોજનાઓ દ્વારા 852 નાના અને સીમાંત ખેડૂતોને 212 હેક્ટર વિસ્તારને આવરી લેતા સિંચાઈનું કરી છે. ખેડૂતોને સૌર સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, 20,735 ઘરો સુધી પીવાનું પાણીની પહોંચવામાં આવ્યું છે.
ટકાઉ જળ વ્યવસ્થાપનમાં ચાલી રહેલા પ્રયાસોના પરિણામે વોટર ક્રેડિટ કરતાં ઘણું ઓછું વોટર ડેબિટ થયું છે. એક નિષ્પક્ષ સંસ્થાના ચોક્કસ તારણ મુજબ અંબુજા સિમેન્ટ્સ 2011માં બે ગણું વોટર પોઝિટિવ હતું જે 2019માં આઠ ગણું વોટર પોઝિટિવ બન્યું છે. 2030 સુધીમાં તેને 10 ગણું વોટર પોઝિટિવ બનાવવાની મહત્વાકાંક્ષા છે.
નિર્ણાયક ક્રિયાઓ અને નવીનત્તમ ઉકેલો એ જળ સુરક્ષા સુનિસ્ચિત કરવા અંબુજાએ આદરેલા અભિગમના પાયાના પથ્થરો છે. ટન દીઠ ઉત્પાદનમાં પાણીનો વપરાશ ઘટાડવા કંપનીએ ટ્રીટેડ પાણીના રિસાયક્લિંગને મહત્તમ કરવા વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીની કાર્યક્ષમતાનાં સખત પગલાં અમલમાં મૂકવા ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેના થકી શુદ્ધ પાણીના સંસાધનો પર તેની ફૂટપ્રિંટ ઘટાડી છે. હવે કંપની દ્વારા વપરાતા તાજા પાણીના સંસાધનોમાંથી પાણીનો ઉપાડ અગાઉ કરતા ઓછો થયો છે.
આ નવીન પહેલોએ સમુદાયમાં જળ સુરક્ષામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જે એક-પાકમાંથી બહુવિધ-પાકની ખેતી તરફના પરિવર્તનમાં સ્પષ્ટ છે. જેમ જેમ અંબુજા સિમેન્ટ્સ જળ સુરક્ષા તરફ આગેકૂચ કરી રહ્યું છે, તેમ તેમ એક કરતાં વધુ પાકની ખેતી કરતા સફળ ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે સમુદાયોના ટકાઉ ભાવિ પ્રત્યે કંપનીના ફત્કૃષ્ટ પ્રયાસો દર્શાવે છે.
