ઈન્ડિયન રેલવે લાવ્યું જોરદાર ટૂર પેકેજ

~ ભારત ગૌરવ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગના દર્શન

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા દેશ- વિદેશમાં વિવિધ સ્થળો પર ફરવા માટે ટુર પેકેજ લોન્ચ કરવામાં આવતાં હોય છે. આ સાથે ભારતીય રેલવે દ્વારા ધાર્મિક પ્રવાસન સ્થળો પર જવા માટે પણ ટુર પેકેજનું સંચાલન કરવામાં આવે છે. જેમા આ વખતે ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ પર્યટન ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રા માટેનું પેકેજ જાહેર કર્યુ છે. આવો  IRCTC ના આ જ્યોતિલિંગ ટુર પેકેજ બાબતે વિસ્તાર પુર્વક જાણીએ.

7 જ્યોતિર્લિંગ યાત્રા

આ ટુર પેકેજનું નામ 7 જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યું છે. જેની શરુઆત ગોરખપુરથી કરવામાં આવનાર છે. આ ટુર પેકેજમાં ટોટલ 767 બર્થ છે. તેમાંથી કંફર્ટ 49, સ્ટાન્ડર્ડ 70 અને ઈકોનોમી સીટો 648 છે. આ ટુર પેકેજ 17 નવેમ્બરથી 26 નવેમ્બર 2023 સુધી ચાલુ રહેશે.

પેકેજમાં શું શું સામેલ છે.

આ યાત્રામાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 રાત્રી અને 10 દિવસના  આ પેકેજમાં 2 ટાયર એસી, 3 ટાયર એસી તથા સ્લીપર ક્લાસમાં યાત્રા કરી શકાય છે, તેમજ આ સાથે પેકેજમાં સવારે નાસ્તો, બપોરનું તેમજ રાત્રીનું શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત એસી/ નોન એસી બસો દ્વારા લોકલ વિસ્તારોમાં પણ લઆ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ટુર પેકેજમાં આ પ્રમાણેનો ચાર્જ રહેશે

કેટેગરી             ટ્રેન મુસાફરી                સિંગલ / ડબલ / ત્રિપલ                       બાળકો (5-11)

કંફર્ટ                  2 એસી                            42200/- રુપિયા                          40650/- રુપિયા 

સ્ટાન્ડર્ડ                3 એસી                          31800/- રુપિયા                          30500/- રુપિયા 

ઈકોનોમી                      SL                        18950/- રુપિયા                           17850/- રુપિયા 

Leave a comment