પાકિસ્તાનમાં ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોની વતન વાપસી

~ તમામ માછીમારોને બસ મારફતે વેરાવળ રવાના કરવામાં આવ્યા

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલ 184 ભારતીય માછીમારો આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર મત્સ્યઉદ્યોગ પ્રધાન રાઘવજી પટેલ, સચિવ ભીમજીયાની, મત્સ્યઉદ્યોગ નિયામક નીતિન સાંઘવાન માછીમારોને આવકારી સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ તમામ માછીમારોને બસ મારફતે વેરાવળ રવાના કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા

અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યા હતા અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. 

મુક્ત કરવામાં આવેલા પૈકી ગુજરાતના 184 માછીમારો

મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2નો સમાવેશ થાય છે. ગુજરાતની 184 વ્યક્તિમાં ગીર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.

Leave a comment