વિદેશી નેતાઓના જીવનમાં ભારતીય શિક્ષકોનું મોટુ યોગદાન – PM મોદી
~ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા. આજે ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમા ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ હાજર રહ્યા છે.
25 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત
વડાપ્રધાન મોદી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા હતા. ગુજરાત અને દેશભરના શિક્ષકો અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. 25 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. ગઈકાલે મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ તથા બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
PM મોદીનો આજના કાર્યક્રમો
- પ્રધાનમંત્રી 12મેના રોજ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે
- 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે
- 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં હાજરી
- શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી
- મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે
- રાજભવનમાં 1.30 થી 2.30 સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી
- પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક
- પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે
- ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક
- PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
- અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે
