~ કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા, 09 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
~ રાજ્યમાં એક્ટિવ કેસ 2176 જ્યારે 2167 દર્દીઓની હાલત સ્થિર
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 251 કેસ નોંધાયા છે. જ્યારે 395 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે કોરોનાથી રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં 92, સુરત જિલ્લામાં 38 , વડોદરા જિલ્લામાં 42, મહેસાણામાં 22, મોરબીમાં 35, રાજકોટ જિલ્લામાં 18, સાબરકાંઠામાં 19, બનાસકાંઠામાં 10, કચ્છમાં 9, ભરૂચમાં 8, ગાંધીનગર જિલ્લામાં 28, પંચમહાલમાં 4, સુરેન્દ્રનગરમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 3, અમરેલી, આણંદ, અરવલ્લી,ભાવનગર, ખેડા અને પોરબંદરમાં બે બે કેસ જ્યારે ગીર સોમનાથ,જામનગર અને મહિસાગરમાં એક એક કેસ નોંધાયો છે.
9 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં જ કોરોનાના કારણે 7 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11056 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2176 એક્ટિવ કેસ છે. 9 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2167 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.
