રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 262 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં પંદરેક દિવસના સમયગાળામાં કોરોનાના કારણે ચોથુ મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, ગઈ કાલે મહેસાણામાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે આજે અમદાવાદમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે 146 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં 143, મોરબી 18, સુરત જિલ્લામાં 21, રાજકોટ જિલ્લામાં 22, વડોદરા જિલ્લામાં 19, અમરેલીમાં 7, મહેસાણામાં 5, આણંદ અને ભરુચમાં 3, ગાંધીનગર જિલ્લામાં 6, બનાસકાંઠા, નવસારી અને કચ્છમાં ત્રણ ત્રણ કેસ, અરવલ્લી, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ખેડા, પાટણ, પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો છે. 

4 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
ભરૂચ અને મહેસાણા બાદ હવે અમદાવાદમાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ છે. 4 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1175 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.04 ટકા થઈ ગયો છે. 

Leave a comment