સરહદી અબડાસા તાલુકાના સુકાભઠ્ઠ પ્રદેશમાં મહિલાઓએ હરિયાળી સર્જી

કચ્છ જેવા સુકા મલકમાં સામાન્ય પાકો પણ પાણીના અભાવે સુકાઇ જતા હોય છે ત્યારે જિલ્લાના સરહદી અબડાસા તાલુકામાં બીટા ગામની મહિલાઓએ ભેજવાળા પ્રદેશોમાં થતું અતિ દુર્લભ એવું અજોલા ઘાસનું સુકા પ્રદેશમાં સફળ વાવેતર કરી બતાવીને પોતાની મહેનત અને મનોબળનું ઉદાહરણ પુરુ પાડયું છે. જો અન્ય ગામની મહિલાઓ કે પશુપાલકો પ્રેરણા લઇને અજોલાનું વાવેતર કરે તો ઘાસની સમસ્યા ઉકેલાઇ જવા સાથે આજીવીકાનું સાધન પણ ઉભું થઇ શકે.

ભેજવાળા પ્રદેશોમાં થતું અતિ દુર્લભ એવું અજોલા ઘાસનું વાવેતર સૂકા પ્રદેશમાં કરીને બીટા ગામના પ્રગતિ સખી મંડળ તથા ગ્રામ્ય સખી સંઘે કિર્તીમાન સર્જ્યો

અબડાસા તાલુકાની મોટા ભાગની વસતી ખેતી અને પશુપાલન પર નિર્ભર કરે છે. વાધુમાં ઉનાળાના સમયમાં ઘાસચારાની ખુબ જ અછત સર્જાતી હોય છે. મોંઘવારીના સમયમાં બમણા ભાવાથી પણ લીલો ઘાસચારો ખરીદવા માટે માલાધારીઓ તૈયાર થઈ જતા હોય છે. એક બાજુ પોતાના પરિવારનું ગુજરાત માંડ ચાલતું હોય છે તે સિૃથતિમાં ઘાસ ખરીદવું માલાધારીઓ માટે મુશ્કેલ બની જાય છે. મોંઘા ઘાસના કારણે આવા સમય નાણાના બચાવ માટે પશુપાલકો સસ્તા મળતા ખોળ જેમાં કપાસિયાનો ભાગ વાધુ હોય એવું ખાણ આપે છે, જે પશુ માટે ખુબજ નુકશાન કરતા હોવાથી પશુ બીમાર પડે છે.  

આ સમસ્યામાંથી બહાર નિકળવા બીટા ગામની મહિલાઓએ મિશન મંગલમ યોજનાનો સહારો લીધો . પ્રાથમ મિશન મંગલમ યોજના હેઠળ બીટા ગામની બહેનો દ્વારા વિવિાધ સખી મંડળની રચના કરવામાં આવી તેમજ આ સખી મંડળો દ્વારા યોજનાકીય વાધુ લાભ મેળવવા મહામંડળ ગ્રામ સંગઠનની રચના કરવામાં આવી. જેમાં સખી મંડળના બહેનો દ્વારા ખેતી અને પશુ પાલનની તાલીમ લેવા નિર્ણય લેવામાં આવ્યો. જેના પરીણામે આ મંડળને યોજનાકીય નાણાકીય લાભ અંતર્ગત રૃ.૧૫૦૦૦/- રીવોલ્વીંગ ફંડ તેમજ ર્ફં માંથી ૨૫૦૦૦/- િધરાણનો લાભ પ્રાપ્ત થતા બહેનોએ સાથે મળીને પશુપાલન તાથા ખેતીની તાલીમ લીધી.

આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મહિલાઓને આદર્શ પશુપાલન તેમજ ખેતીમાં અજોલા ઘાસની ખેતી કેવી રીતે કરવી તેમજ આ ઘાસના ફાયદાની સમજ આપવામાં આવી હતી.  આ ઘાસ ખુબ જ દુર્લભ હોવાથી બજારમાં વેંચાણ કરતા તેની સારી એવી કીંમત પ્રાપ્ત થાય છે. તેાથી મહિલાઓ તેને આજીવિકાનું સાધન પણ બનાવી શકે છે.   તાલીમ બાદ બહેનોએ અજોલા ઘાસની ખેતી કરવાનું નક્કી કર્યું . વર્તમાન સમયમાં  આ ઘાસ પ્રતિ કિલો ૧૦૦૦/-ની બજારકિંમતે વેચવામાં આવે છે. તેમજ આ ઘાસ પશુને આપવાથી દુાધની ગુણવત્તા તેમજ જથૃથામાં સારો એવો વાધારો કરી શકાય છે. આ માટેના બેડ તેમજ કાચો માલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગાથી બહેનોને નિાથશુલ્ક આપવામાં આવ્યા હતા. અત્યારે બહેનો દ્વારા ૩૦-૪૦ કિલો ઘાસ ઉગાડવામાં આવ્યું છે. જે પોતાના પશુને પણ આહારમાં આપવામાં આવે છે.. આમ, સરકારની આ કલ્યાણકારી યોજનાએ સરહદી સુકાપ્રદેશની મહિલાઓની તાથા તેના પરીવારની કિસ્મત તાથા સુકી ભૂમિની તાસીર બદલી દિાધી છે. હાલ, આખું ગામ તેનાથી લાભાન્વિત થઇ રહ્યું છે. 

Leave a comment