ભારત-ઓસ્ટ્રેલિયાની આગામી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ મેચની શરઆત થઈ રહી છે. ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા આ ટેસ્ટ સિરીઝ સાથે ટીમમાં પરત ફરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ સિરીઝ પહેલા તેના પરત ફરવાથી લઈને થોડા ઈમોશનલ જોવા મળ્યા હતા.
ઘુંટણની સર્જરીના કારણે રવિન્દ્ર જાડેજાને 6 મહિના ક્રિકેટ જગતથી દુર રહેવું પડ્યુ
રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે, T-20 વર્લ્ડ કપ 2022 પહેલા જો તે તેના ઘુંટણની સર્જરી કરાવી હોત તો પણ તે વર્લ્ડ કપમા રમી ના શક્યો હોત. એશિયા કપ 2022 માં તેના ઘુંટણમાં લાગવાના કારણે રવિન્દ્ર જાડેજા T-20 વર્લ્ડ કપમાથી બહાર થઈ ગયો હતો. તે છેલ્લા 6 મહિનાથી ક્રિકેટ જગતથી દુર હતો. હવે તે ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરીઝમાં પરત ફરી રહ્યો છે.
હું ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો હતો: રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ વધુ જણાવતાં કહ્યુ કે, હું ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો હતો. મારા ઘુંટણના કારણે ઘણો જ સંઘર્ષ કરી રહ્યો છુ અને સર્જરીની રાહ જોતો હતો. અને તે બાબતે મારે જ નિર્ણય કરવાનો હતો કે ઘુંટણનું ઓપરેશન વર્લ્ડ કપ પહેલા કરાવુ કે પછી. તેથી મે ડૉક્ટરની સલાહ લીધી અને ડૉક્ટરે મને આ સર્જરી પહેલા કરવાની સલાહ આપી તેથી મે નિર્ણય લઈ લીધો હતો.
આ મારુ સૌભાગ્ય છે કે મને આ મોકો મળ્યો છે: રવિન્દ્ર જાડેજા
સર્જરી પછી પાછા ફરેલા રવિન્દ્ર જાડેજાએ નેશનલ ક્રિકેટ એકેટમીના ફિઝિયોથેપીસ્ટને ક્રેડિટ આપી આ સાથે સર્જરીના રિકવરી માટે ખૂબ સારી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે, હું પાંચ મહિના પછી ટીમ ઈન્ડિયામાં પરત ફરી રહ્યો છુ અને તેની ટી-શર્ટ પહેરી ખૂબ ખુશ છુ. તેમણે કહ્યુ કે આ મારુ સૌભાગ્ય છે કે મને આ મોકો મળ્યો છે.
