ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠમાં એક્શન મોડમાં દેખાયા

~ સફાઈ અભિયાન ચલાવી 20 ટ્રક કચરો સાફ કર્યો

~ સતત બીજા દિવસે, ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક્શન મોડમાં દેખાયા. ગુજરાતના રાજ્યપાલે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાનને અમલમાં મૂકી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલએ  શરૂ કરેલી સફાઈ અભિયાનમાં કચરાની 20 ટ્રકો નીકળી હતી.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વીટ કર્યું, “આજે, સતત બીજા દિવસે, ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી બે દિવસમાં અહીંથી વીસથી વધુ ટ્રક કચરો દૂર કરવામાં આવ્યો હતો. ગઈકાલે જે જગ્યાએ સફાઈ કરવામાં આવી હતી ત્યાં ફૂલના છોડ વાવ્યા હતા. અહીંના રમતના મેદાનને  ટૂંક સમયમાં રમવા યોગ્ય બનાવવામાં આવશે.

આ પહેલા રાજ્યપાલે મહાત્મા ગાંધી યુનિવર્સિટીની ખરાબ હાલતને ધ્યાનમાં લીધી હતી. નોંધવા જેવી વાતએ છે કે, આ પહેલા પણ  તેણે પોતાના ટ્વિટર હેન્ડલથી સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર કરતો ફોટો શેર કર્યો હતો. જેમાં તેઓ પોતે ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનની પહેલને આગળ વધારતા દેખાયા હતા. તેમણે પણ પાવડો વડે સાફઈ કરી હતી અને છોડ પણ  ઉગાડીયા હતા. ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, “ગુજરાત વિદ્યાપીઠમાં આજે ફરી એક વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સફાઈ કામદારોએ પણ આજની સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ શાળામાં ફેલાયેલી ગંદકી જોઈને મન અત્યંત દુ:ખી થાય છે.”

Leave a comment