લખપત તા,માં છેલ્લા ચારેક વર્ષમાં  જી.કે. જન. અદાણી હોસ્પિ. દ્વારાઅંદાજે વીસ હજાર જેટલા દર્દીઓને આપાઈ સારવાર

~ દયાપર સ,આ,કેન્દ્રમાં ૧૩૨ કેમ્પ કરી, સ્ત્રીરોગ,બાળરોગ અને મેડિસિનમાટે કરાયો ઉપચાર

અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહકારથી સરહદ અને ગ્રામ વિસ્તારમાં વસતા લોકોને આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય એ હેતુસર શરૂ થયેલા આઉટરિચ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે.છેલ્લા ચારેક વર્ષથી આરંભાયેલા આ  આરોગ્યલક્ષી આયોજન  હેઠળ લખપત તાલુકાનાં વીસ હજાર દર્દીઓએ સારવાર લીધી હતી.

જી કે જનરલ હોસ્પિટલ દ્વારા સ્ત્રીરોગ,બાળરોગ,મેડિસિન તેમજ રેડિયોલોજી વિભાગ વિગેરેની બનેલી સંયુક્ત ટીમે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતના અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા ચાર વર્ષમાં 132 વખત મુલાકાત લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિસ્તારમાં મહિલાઓ અને બાળકોના આરોગ્યની ખાસ સંભાળ લેવાય તેવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી આ સેવાને અનુકૂળ પ્રતિસાદ સાંપડ્યો હતો.

વર્ષ ૨૦૧૮ ૨૦૧૯માં શરૂ થયેલા આ આઉટરિચ કાર્યક્રમ અંતર્ગત શરૂઆતમાં દર્દીઓની સંખ્યા ઓછી  હતી,પરંતુ જેમ જેમ દર્દીઓને રાહત થવા લાગી તેમ વધુ ને વધુ લોકો લાભ લેતા થયા, એ મુજબ સ્ત્રીરોગ માટે ત્રણ હજારથી વધુ મહિલાઓએ સારવાર લીધી હતી જ્યારે  ચાર હજાર જેટલા બાળકોને તપાસી તેમનો ઉપચાર કરવામાં આવ્યો હતો.

આ બંને રોગના દર્દીઓ ઉપરાંત રોજે રોજ પરિસ્થિતી પ્રમાણે મેડિસિન સંબંધિત દર્દીઓ આ છેવાડાના વિસ્તરમાં હોવાને કારણે મેડિસિન વિભાગને પણ સાબદું કરી સારવાર આપવામાં આવે છે. એ જોતાં લખપત વિસ્તારના અંદાજે  આઠ હજાર લોકોને  સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત બે હજાર જેટલી સોનોગ્રાફી સહિત એક હજાર ઇસીજી કરવામાં આવ્યું હતું.

Leave a comment